TMKOC: તારક મહેતા...ના પૂર્વ ડાયરેક્ટરે શોના મોટા ભાગના કલાકારોને ગણાવ્યાં 'કાચિંડા', જેઠાલાલ વિશે શું કહ્યું તે ખાસ જાણો

Taarak Mehta Ka Ooltah Chashmah: શોના પૂર્વ ડાયરેક્ટર માલવ રાજડાએ ફેન્સ સાથે ચેટ સેશન દરમિયાન અનેક એવા ખુલાસા કર્યા છે જાણીને શોક લાગશે. તેમણે શોમાં તેમના કમબેક વિશે પણ વાત કરી. 

TMKOC: તારક મહેતા...ના પૂર્વ ડાયરેક્ટરે શોના મોટા ભાગના કલાકારોને ગણાવ્યાં 'કાચિંડા', જેઠાલાલ વિશે શું કહ્યું તે ખાસ જાણો

Malav Rajda On TMKOC: માલવ રાજડા લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર રહી ચૂક્યા છે. તેઓ આ શો સાથે સતત 14 વર્ષ જોડાયેલા રહ્યા અને તેમના ડાયરેક્શનની સ્ટાઈલને પણ લોકોએ ખુબ પસંદ કરી. જો કે તેમણે નવી તકો શોધવા માટે આ શોને અલવિદા કરી. હાલમાં જ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે વાતચીતમાં તેમણે શો વિશે કેટલાક એવા ખુલાસા કર્યા કે ફેન્સ ચોંકી ગયા. 

કલાકારોને ગણાવ્યાં કાચિંડા
પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સ સાથે એક ચેટ સેશનમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પૂર્વ ડાયરેક્ટર માલવ રાજડાએ શોના એકટર્સ સાથે તેમના બોન્ડ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જેનિફર મિસ્ત્રી બંસીવાલ, અમિત ભટ્ટ, અઝહર શેખ, પલક સિંધવાની, અંબિકા રાજનકર જેવા કલાકારોના નામ લઈને જવાબ આપ્યો.  તેમણે એ કહીને બધાને ચોંકાવી દીધા કે તેમને એહસાસ થયો કે શોના મોટાભાગના કલાકારો કાચિંડા જેવા છે. 

No description available.

શું રાજડા શોમાં કરશે કમબેક?
રાજડાને જ્યારે વધુમાં પૂછવામાં આવ્યું કે શું તારક મહેતા શોમાં તેમની વાપસીની શક્યતા છે તો તેમણે તેનો જવાબ આપતા તેને અશક્ય ગણાવ્યું અને ફિલ્મ દિલજલેનું લોકપ્રિય ગીત હો નહીં સકતા વગાડ્યું. એવું પૂછવામાં આવ્યું કે શું શોના જૂના કલાકારો પણ ક્યારેય પાછા આવશે અને શોને પહેલા જેવો  બનાવી શકાશે તો તેમણે ફિલ્મ લજ્જાનું ગીત બડી મુશ્કિલ હૈ વગાડીને એક વધુ મજેદાર જવાબ આપ્યો હતો. 

શો છોડવાના કારણ પર શું કહ્યું
તેમણે પોતાના, શૈલેષ લોઢા, ભવ્ય ગાંધી અને જેનિફર મિસ્ત્રી બંસીવાલ જેવા લોકોના શો છોડવા પાછળના કારણ અંગે ખુલાસો કરવા ઈજ્જત સે જીના ઈજ્જત સે મરના અને  ભ્રષ્ટાચાર કે ખિલાફ જંગ હમારી, અત્યાચાર કે ખિલાફ જંગ હમારી ગીતને ડેડિકેટ કર્યું. જ્યારે તેમને મેકર અસિત મોદી સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે ફિલ્મ 1942: એ લવ સ્ટોરીનું ગીત કુછ ના કહો, કુછ ભી ના કહો વગાડીને મજેદાર જવાબ આપ્યો હતો. 

દિલિપ જોશી વિશે કરી આ વાત
માલવ રાજડાએ તારક મહેતા...ના જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી સાથે કામ કરવાનો અુભવ ખુબ શાનદાર ગણાવ્યો અને તેમને, અમિત ભટ્ટ અને મંદાર ચંદવાદકરને શોમાં ટોપ 3 એકટર્સમાં કાઉન્ટ કર્યા. 

No description available.

જ્યારે એવું પૂછવામાં આવ્યું કે આટલો પ્રેમ મળવા છતાં તેઓ શોથી આટલી નફરત કેમ કરે છે તો તેમણે જવાબ આપ્યો કે તે હંમેશા લેવડદેવડ હોય છે અને તેમને શોમાંથી ઘણું બધુ મળ્યું પરંતુ તેમણે શોને ઘણું બધુ આપ્યું પણ છે આથી તેઓ ક્યારેય તેનાથી નફરત કરી શકે નહીં. એટલે સુધી કે તેમણે શોમાં સોનુની ભૂમિકા ભજવતી નિધિ ભાનુશાળીને પણ તેની પત્ની પ્રિયા રાજડા કે જેણે રીતા રિપોર્ટરની ભૂમિકા ભજવી હતી, તેના બાદ શોમાં પોતાની ફેવરિટ અભિનેત્રી ગણાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news