રાજકોટ News

વેરાવળનો વિવેક મેરેજ સર્ટિફિકેટ માટે રાજકોટ ગયો, પરંતુ પરિવારને ડેથ સર્ટિફિકેટ મળ્યુ
Rajkot Fire Latest Update : રાજકોટના ગેમઝોને 28 લોકોની જિંદગી છીનવી. રાજકોટના મૃતકોમાં માત્ર 28 લોકો જ ન હતા, પરંતું 28 લોકો સાથે જોડાયેલા પરિવારોને જીવતેજીવ મોત મળ્યું છે. તેમના ઘરોમાં હૈયુ હચમચાવી દે તેવો વલોપાત છે. સંતાનો વગર હવે તેમનું શું થશે. ત્રણ દિવસ આ ઘરોમાં કોઈના ગળેથી પાણી નથી ઉતર્યું. ગેમઝોનમાં રમવા ગયેલા લોકો કફન વીંટાળીને પાછા ફર્યાં છે. મૃતદેહોની જગ્યાએ પોટલામાં વીંટાળેલું શરીર પાછુ આવતા માતાપિતા ધબકારો ચૂકી ગયા હતા. આ આગ વેરાવળના દુશારા પરિવારની ત્રણ લોકોની જિંદગી ભરખી ગઈ. વિવેક દુશારા મેરેજ સર્ટિફિકેટ લેવા રાજકોટ ગયો હતો, પરંતુ પરિવારનો દીકરો ડેથ સર્ટિફિકેટમાં પાછો આવ્યો. 
May 29,2024, 15:33 PM IST

Trending news