દહીં શરીર માટે ફાયદાકારક વસ્તુ છે. દહીં શરીરને ઠંડક આપે છે.
જો રોજના આહારમાં દહીંનો સમાવેશ કરવામાં આવે તો તેનાથી ગજબના ફાયદા થાય છે.
દહીમાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને વિટામીન જેવા પોષક તત્વો હોય છે.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર સવારે ખાલી પેટ દહીં ખાવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે અને ઘણી બધી બીમારીઓથી બચાવ થાય છે.
જે લોકોનું પેટ ખરાબ રહેતું હોય તેમના માટે સવારે દહીં ખાવું ફાયદાકારક રહે છે.
હાઈ બીપીના દર્દીએ પણ રોજ સવારે દહીં ખાવું જોઈએ તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે પણ દહીં આદર્શ ફૂડ છે. દહીંથી પ્રોટીન મળે છે.